GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નુરાની કબ્રસ્તાન સ્થિત હજરત સૈયદ શહીદ કાલુશાહ બાબાનો ઉર્ષ ની દબદબાભેર ઉજવણી

 

તારીખ ૩૦/૧૦/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલના ઇદગાહ રોડ નુરાની કબ્રસ્તાન પાસે આવેલા બાબાની દરગાહ ખાતે ઉર્ષનું દર વર્ષની જેમ આ વર્ષ પણ ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દર વર્ષની જેમ ઈસ્લામી મહીનો રબીઉલ આખરની ૨૪મી તારીખે સુપ્રસિદ્ધ સૂફીસંત હઝરત સૈયદ કાલુશાહ શહીદ બાબાના ઉર્ષની વાર્ષિક ઉજવણી કરવામાં આવે છે.તેમનુ મઝાર મુબારક કાલોલ ઇદગાહ રોડ નુરાની કબ્રસ્તાન નજીક આવેલું છે.અને બાબાનુ સંદલ શરીફ સુરત મોટી ગાદી ધર્મગુરુ હઝરત સૈયદ ગોસુદ્દીન રીફાઇ બાબા ઉર્ફે હઝરત સાહેબ ની પ્રેરક ઉપસ્થિતિમાં જુમ્મા મસ્જીદ નુરાની ચોકના પ્રાંગણમાંથી નાતશરીફ મનકબત પડતા ઝુલુસ સ્વરૂપે પગપાળા સંદલ તથા ચાદર લઈ ઇદગાહ રોડ નુરાની કબ્રસ્તાન નજીક હઝરત સૈયદ કાલુશાહ શહીદ બાબાના મજાર પર પોહચી પહેલા પરચમ કુસાઈ પછી સંદલ અને ચાદર પેશ કરી સમગ્ર અકીદતમંદોના માટે દુવા હઝરત સૈયદ ગોસુદ્દીન રીફાઇ બાબા દ્વારા માંગવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહી સંદલ ની રસમ અદાઇગી કરવામાં આવી હતી ત્યારબાદ કમેટી દ્વારા નીયાઝ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટીસંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે મોડી રાત્રી સુધી ગ્રામજનોને નિયાઝ પીરસવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!