વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા ડાંગ
વલસાડ-ડાંગના સાંસદ તેમજ લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલ દ્વારા કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવજીને વઘઈ – બીલીમોરા ટ્રેનને હેરિટેજ ટ્રેન તરીકે જાહેર કરવા તેમજ વલસાડ જિલ્લામાં વિવિધ ટ્રેનના નવા સ્ટોપેજ તેમજ જરૂરી માળખાકીય સુવિધાઓ અંગે લેખીત રજૂઆત કરી હતી. વલસાડ જિલ્લામાં વિવિધ રેલવે સ્ટેશનો ઉપર પેસેન્જરોના હિતમાં વિવિધ ટ્રેનો ના સ્ટોપેજ અંગેની મળી રહેલી સતત રજૂઆતોના પગલે અને જિલ્લાના તમામ રેલવે સ્ટેશનો ઉપર જરૂરી સુવિધાઓની લોક રજૂઆતોને પગલે લોકસભાના દંડક વલસાડ- ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીને વઘઈ – બીલીમોરા ટ્રેનને હેરિટેજ ટ્રેન તરીકે જહેર કરવા, વલસાડ વંદે ભારત ટ્રેન, શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન ને સ્ટોપેજ આપવા, તેમજ બીજી અન્ય જરૂરી ટ્રેનોના સ્ટોપેજ સંદર્ભે, માતા વૈષ્ણોદેવી કટરા માટે વલસાડથી નવી ટ્રેન શરૂ કરવા બાબત સહિત અનેકવિધ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે રૂબરૂ મળી વિસ્તાર પૂર્વક લેખિત રજૂઆત હતી.