થરા તખતપુરા વિસ્તારમાં શ્રી સુખદાતા ગોગા મહારાજનો પ્રથમ પાટોત્સવ ઉજવાયો..
થરા તખતપુરા વિસ્તારમાં શ્રી સુખદાતા ગોગા મહારાજનો પ્રથમ પાટોત્સવ ઉજવાયો..

થરા તખતપુરા વિસ્તારમાં શ્રી સુખદાતા ગોગા મહારાજનો પ્રથમ પાટોત્સવ ઉજવાયો..
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામા આવેલ તખતપુરા વિસ્તારના નાકે બિરાજમાન શ્રી સુખદાતા ગોગા મહારાજનો પ્રથમ પાટોત્સવ નિમિત્તે આજ રોજ સંવત ૨૦૮૧ પોષસુદ -૧૨ ને શનિવાર તા.૧૧/૦૧/૨૦૨૫ ના રોજ સવારે મોચી વિકાસ અમરતભાઈ ના મુખ્યયજમાન પદે શાસ્ત્રી નરેશભાઈ જોષીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાંર સાથે સાંજે ૪.૧૫ કલાક સુધી પૂજારી સોમભારથી ધ્યાનભારથી ગૌસ્વામીની પાવન નિશ્રામાં યજ્ઞ યોજાયો હતો.બપોરે ૧૨.૩૯ કલાકે ચૌહાણ મોંટુજી કેશાજીના વરદ હસ્તે ધ્વજાં રોહણ કરવામાં આવેલ.આ અનેરા અવસરે બપોરે તેરવાડીયા તખતસંગ ભોમાજી અને રાત્રે ગોહિલ અમરાજી નાથાજી દ્વારા પ્રસાદ આપવામાં આવેલ.જોષી વિનોદકુમાર વજેરામભાઈ રાત્રે સાઉન્ડ સિસ્ટમનો લાભ લીધો હતો.ત્યારે ભુદરભાઈ જોષી, સોમભારથી ગૌસ્વામી,નિવૃત શિક્ષક અમરતભાઈ મોચી, છગનભાઈ ઠક્કર,પ્રવીણભાઈ ગોહિલ,નાનજીભાઈ પુરોહિત સહીત તખતપુરા વિસ્તારના રહીશો હાજર રહ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530






