GUJARATRAJKOTRAJKOT CITY / TALUKOUPLETA

Rajkot: “નિર્મળ ગુજરાત – ૨.૦ યોજના” ભાયાવદરમાં આઇકોનીક રોડની કામગીરી પ્રગતિ હેઠળ

તા.૩૦/૧/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર શહેરમાં આઇકોનીક રોડ બની રહ્યો છે. ભાયાવદર નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત – ૨.૦ યોજના અંતર્ગત બની રહેલો આ આઇકોનીક રોડ / નિર્મળ પથ નાગરીકોની સુવિધામાં વધારો કરશે.

હાલ આ કામગીરી પ્રગતિ હેઠળ છે. આઇકોનીક રોડ એટલે સીટી એન્ટ્રી રોડ. જેમાં મેઈન રોડ, સર્વિસ રોડ, ફૂટપાથ, પાર્કિંગ સહિતની તમામ પ્રકારની સુવિધાઓ હોય, જેથી, સ્થાનિકોને ટ્રાફિક જામની તકલીફ ન રહે. નિર્મળ પથથી શહેરની આગવી ઓળખ ઊભી થશે અને શોભામાં વધારો થશે. આમ, ‘માય સીટી, માય પ્રાઈડ’ સૂત્રને સાકાર કરતો આઇકોનીક રોડ ભાયાવદરના શહેરીજનો માટે આવન-જાવનમાં ખૂબ ઉપયોગી બનશે.

Back to top button
error: Content is protected !!