GUJARATJASDALRAJKOTRAJKOT CITY / TALUKO
Jasdan: જસદણમાં કુંવરજીભાઈ બાવળીયા તિરંગા યાત્રામાં જોડાયા

તા.૧૭/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રાજ્યના પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં આજે જસદણ વિસ્તારમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. ત્રાસવાદીઓના ખાત્મા માટે ભારતીય સેનાએ હાથ ધરેલા ઓપરેશન સિંદૂરના સમર્થન અને ભારતીય જવાનોને બિરદાવવા માટે યોજાયેલી યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. આ યાત્રા એ જસદણ નગરમાં દેશભક્તિનો માહોલ સર્જી દીધો હતો.




