દ્વારકા::ગોમતી ઘાટ-બીચ સફાઇનું ભગીરથ કાર્ય થયુ

જામનગર (ભરત ભોગાયતા)
ચારધામ માં ના એક દ્વારકાધામમાં જગતમંદિરમાં દ્વારકાધીશના દર્શનનુ મહત્વ છે તેટલુ જ ગોમતી નદીના પાન નુ તેમાં સ્નાન નુ ઘાટ ઉપર પૂજા વિધીનુ મહત્વ છે ત્યારે આ ઘાટ સફાઇનુ મેગા અભિયાન હાથ ધરાયુ હતુ. આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જામનગર કચેરીના રીજનલ ઓફીસર જી.બી.ભટ્ટ એ સૌ ને પ્રેરીત કર્યા હતા.

ગત તારીખ 28 5 2025 ના રોજ સાંજે 05:00 કલાકે જિલ્લા વહીવટી તંત્ર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગેમી અને દ્વારકા નગરપાલિકા દ્વારા ગોમતીઘાટ દ્વારકા ખાતે બીચ કલિનીંગ ની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવેલ. જેમાં ટાટા કેમિકલ્સ ની એનજીઓ TCSRD અને અન્ય લોકોએ પણ ભાગ લીધેલ. આશરે અઢીસો જેટલા માણસો એ ભાગ લીધો. આશરે છ હજાર કિલો જેટલો કચરો ભેગો કરવામાં આવેલ.
_____________________>
—regards
bharat g.bhogayata
Journalist (gov.accredate)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com





