ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ- 51 મિઠાઈ, ફરસાણ તેમજ ખાદ્ય તેલના નમૂના પૃથક્કરણ માટે લેવામાં આવ્યા

આણંદ- 51 મિઠાઈ, ફરસાણ તેમજ ખાદ્ય તેલના નમૂના પૃથક્કરણ માટે લેવામાં આવ્યા

 

તાહિર મેમણ – આણંદ – 08/08/2025 – આણંદ જિલ્લાના ફુડ સેફ્ટી વિભાગે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જિલ્લાવાસીઓને આરોગ્યપ્રદ આહાર મળી રહે તે હેતુથી સ્પેશલ ફરાળી ડ્રાઇવનું આયોજન કર્યું હતું.

 

આ ડ્રાઇવ અંતર્ગત આણંદ, બોરસદ અને અન્ય તાલુકાઓમાં ફરાળી ખાદ્યપદાર્થોનું વેચાણ કરતી પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બટાકાની ફરાળી વેફર, સાબુદાણા ખિચડી, સાબુદાણા વડા, પેટીસ જેવા તૈયાર ખોરાક ઉપરાંત ફરાળી લોટ, રાજગરાનો લોટ અને સિંગોડાનો લોટ જેવી વસ્તુઓના કુલ 31 નમૂના પૃથક્કરણ માટે લેવામાં આવ્યા છે.

 

રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને મિઠાઈ-ફરસાણ બનાવતી અને વેચાણ કરતી પેઢીઓની પણ આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આણંદ શહેર અને જિલ્લાના તાલુકાઓમાંથી કુલ 51 મિઠાઈ, ફરસાણ તેમજ ખાદ્ય તેલના નમૂના પૃથક્કરણ માટે લેવામાં આવ્યા છે.

 

આ ખાસ ડ્રાઈવ દરમિયાન બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો અંદાજે 15 કિલોગ્રામ જેટલો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. વેપારીઓને સ્વચ્છતા જાળવવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે.

 

લેવામાં આવેલા તમામ નમૂનાઓના પૃથક્કરણ રિપોર્ટ આવ્યા બાદ એફ.એસ.એસ. એક્ટ-2006 મુજબની કાર્યવાહી કરવામાં આવશે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, આણંદના ડેઝિગનેટેડ ઓફિસરે જણાવ્યું છે કે આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને ખાદ્યપદાર્થોની તપાસની ઝુંબેશ ચાલુ રહેશે

Back to top button
error: Content is protected !!