01 સપ્ટેમ્બર 2025
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર
જામનગરના અલિયાબાડામાં આવેલ દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલયમાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી… સમગ્ર દેશમાં ફીટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ પ્રસંગે દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલય અલિયાબાડામાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવી. મહાવિદ્યાલયમાં રમતગમત અને ફિટનેસ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. આ અવસરે તાલીમાર્થીઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધે , તંદુરસ્તી પ્રત્યે જાગૃતિ વધે, અને olympics values પ્રસરે તે હેતુથી અલગ રમતોનું આયોજન કરાયું. સૌ અધ્યાપકો અને તાલીમાર્થીઓ ખુબ ઉત્સાહભેર જોડાયા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન કો- ઓર્ડિનેટર ડૉ.પ્રશાંતભાઈ ચૌહાણ દ્વારા આચાર્યશ્રી ડૉ.રુપલબેનના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવ્યું.