GUJARATJASDALRAJKOTRAJKOT CITY / TALUKO
Jasdan: જસદણ નગરપાલિકા દ્વારા યોગ શિબિર યોજાઈ

તા.૧૯/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jasdan: ગુજરાત સરકાર દ્વારા હાલમાં ‘સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫’ અભિયાન ચાલી રહ્યું છે. જે અન્વયે જસદણ નગરપાલિકા દ્વારા જીલેશ્વર પાર્ક ખાતે યોગ શિબિર યોજાઈ હતી. જેમાં સાધકોને સ્વચ્છતાને આદત તરીકે કેળવવા અનુરોધ કરાયો હતો.
તેમજ ધ્યાન, યોગ અને પ્રાણાયામ કરાવીને નિયમિત યોગાભ્યાસ કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપરાંત, રાજ્ય સરકારના ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંગે જાણકારી આપીને સ્થૂળતા દૂર કરવા સલાહ આપી હતી. આ કાર્યક્રમમાં જસદણ નગરપાલિકાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.





