અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં “વિકાસ સપ્તાહ” અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે “ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવાઇ
રાષ્ટ્ર પ્રથમ’ના મંત્રને જીવનમંત્ર બનાવવા પ્રતિજ્ઞાબધ્ધ થતા અરવલ્લી જિલ્લાના અધિકારી-કર્મચારીઓ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. આ ૨૪ વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેની વિકાસગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં આજે તા.૭ થી આગામી તા.૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવાઈ રહ્યો છે.
અરવલ્લી જિલ્લામાં વિકાસ સપ્તાહ ૨૦૨૫ની ઉજવણી અન્વયે આજરોજ અરવલ્લી જિલ્લા કલેક્ટર કપ્રશસ્તિ પારીકના અધ્યક્ષસ્થાને જિલ્લાના મુખ્યમથક મોડાસા જિલ્લા સેવાસદન ખાતે “ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવામાં આવી હતી. આ પ્રતિજ્ઞામાં જિલ્લાના તમામ વર્ગ-૦૧ તથા વર્ગ-૦૨ના અધિકારી ઓ કર્મચારી ઓ સહભાગી થઇ ભારતના જવાબદાર નાગરિક તરીકે ‘રાષ્ટ્ર પ્રથમ’ના મંત્રને જીવનમંત્ર બનાવવા પ્રતિજ્ઞાબધ્ધ થયા હતા.