GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ સહિત હોદ્દેદારો અને કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાત નિહાળવાનો કાર્યક્રમ યોજાયો.

તારીખ ૨૬/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો મન કી બાત નો લાઇવ નિહાળવાનો કાર્યક્રમ કાલોલ તાલુકાના ભારતીય જનતા પાર્ટી તાલુકા સંગઠનના મંત્રી વિનોદભાઇ ના નિવાસસ્થાને તાલુકા ના બુથ સમિતિના કાર્યકર્તાઓ અને શક્તિ કેન્દ્રના સંયોજક તેમજ પેજ સમિતિના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહીદીપસિંહ ગોહિલ સાથે સંગઠન યુવા મોરચાના મહામંત્રી હર્ષ વ્યાસ,યુવા કાર્યકર્તા કિરપાલસિંહ તેમ જ કાલોલ તાલુકા પંચાયતના પુર્વ ઉપપ્રમુખ વિજયસિંહ રાઠોડ સહિતના ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહી મન કી બાત નો લાઇવ કાર્યક્રમ નિહાળ્યો હતો.








