THARADVAV-THARAD

થરાદ ખાતે સરદાર@૧૫૦ યુનિટ માર્ચ યોજાઈ

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ વાવ થરાદ

 

ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન ‘સરદાર@૧૫૦ યુનિટી માર્ચ’ અંતર્ગત આજે થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની હતી. જેમાં તમામ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

 

દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રનિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પદયાત્રામાં અધિકારીશ્રીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, સહકારી આગેવાનો અને નગરજનો બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

 

 

આ કાર્યક્રમ દરમિયાન રમતગમત ક્ષેત્રે યોગદાન આપનાર વિવિધ રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું. પદયાત્રાનો પ્રારંભ માર્કેટ યાર્ડ થરાદ સરદાર પટેલ સ્ટેચ્યુથી કરવામાં આવ્યો હતો. જ્યારે પદયાત્રાની પૂર્ણાહુતિ લુણાલ નકળંગ ધામ ખાતે કરવામાં આવી હતી. અધ્યક્ષશ્રી શંકરભાઈ સાથે નાગરિકોએ એકતા શપથ લીધા હતા. “એક ભારત, આત્મનિર્ભર ભારત” અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા પૂર્ણ કરાઈ હતી.

 

આ પ્રસંગે બનાસ બેન્કના ચેરમેનશ્રી ડાહ્યાભાઈ પીલીયાતર, પૂર્વ સાંસદશ્રી પરબતભાઈ પટેલ, થરાદ, એ.પી.એમ.સી.ના ચેરમેનશ્રી શૈલેષ પટેલ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ચિંતન તેરૈયા સહિત સ્થાનિક આગેવાનો અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!