MORBI:મોરબી સાર્થક વિદ્યામંદિરમાં આજે દસમા તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી.

MORBI:મોરબી સાર્થક વિદ્યામંદિરમાં આજે દસમા તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી.
આ કાર્યક્રમમાં તુલસીના રોપા અને માંજર નું વિતરણ સાથે સાથે વિવિધ ઓર્ગેનિક અને આયુર્વેદિક વસ્તુઓનું રાહત દરે વેચાણ તેમજ માહિતી પ્રદર્શની યોજાઇ હતી.
શાળામાં ચાલતા વિવિધ કંઠસ્થીકરણ પ્રકલ્પની કૃતિઓ કરવામાં આવી અને સમાજ જાગૃતિ માટેની કૃતિઓ જે શિક્ષકો દ્વારા કરવામાં આવી . તુલસીનું વૈજ્ઞાનિક મહત્વ રજુ કરવામાં આવ્યું.
દર વર્ષે તુલસી પૂજન તેમજ તુલસી સન્માન કરવામાં આવે છે જેમાં સ્વચ્છતા,સલામતી,સેવા,શિક્ષણ, સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રે કાર્ય કરતા વિવિધ વ્યક્તિઓ અને સંસ્થાનું સન્માન કરવામાં આવે છે..
જેમ આ વખતે વિશેષ સન્માન શહીદ જવાન શ્રી ગણેશભાઈ મનસુખ ભાઈ પરમાર (શહીદ પરિવારને), નીતાબેન પટેલ (સેવા) , મયુર હોસ્પિટલ પ્રતિનિધિ શ્રી બારોટ સાહેબ(સ્વાસ્થ્ય) , ફાયરસેફ્ટી એન્ડ ઇમરજન્સી સર્વિસ પ્રતિનિધિ શ્રી દેવેન્દ્રસિંહ જાડેજા(સુરક્ષા -સલામતી ), મોરબી નગરપાલિકા પ્રતિનિધિ શ્રી અનુરાગભાઈ સંતોકી (સ્વરછતા) ,દીપાબેન કોટેચા(શિક્ષણ) ક્ષેત્રે સન્માન આપવામાં આવેલું.
આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના સંચાલક શ્રી કિશોર ગુરુજીએ સૌનો આભાર વ્યક્ત કર્યો તેમજ તુલસી દિવસની શુભકામના પાઠવી. કાર્યક્રમનું સંચાલન શાળાના HR વિવેક ગુરુજી એ કર્યું હતું તેમજ સન્માન સમયે નું સંચાલન માનસેતા સાહેબે કર્યું હતું.










