GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી અને ચીખલી માં નવા વર્ષના પ્રારંભે ગુજરાત યોગ બોર્ડ દ્વારા ભવ્ય ‘સૂર્ય નમસ્કાર ધ્યાન સત્ર’નું આયોજન સમ્પન્ન

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

*’સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત’ના સંકલ્પ સાથે ૧લી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ઓનલાઇન સૂર્ય નમસ્કાર દ્વારા કરવામાં આવ્યું

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, નવસારી દ્વારા આગામી નવા વર્ષની ઉજવણી ભારતીય સંસ્કૃતિ અને યોગ પરંપરા સાથે કરવાના ઉદ્દેશ્યથી એક વિશેષ **‘સૂર્ય નમસ્કાર ધ્યાન સત્ર’**નું આયોજન કરવામાં આવ્યું .

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પશ્ચિમી સંસ્કૃતિના આંધળાનુકરણથી યુવા પેઢીને બચાવી, વ્યસનમુક્ત અને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી તરફ વાળવાનો છે. ૩૧મી ડિસેમ્બરની રાત્રે થતી અનાચારસભર પ્રવૃત્તિઓથી દૂર રહી, નવા વર્ષના પ્રથમ સૂર્યકિરણનું સ્વાગત સૂર્ય નમસ્કાર દ્વારા કરવામાં આવશે.

તારીખ ૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરી ૨૦૨૬, નવસારી ચીખલી મા તાલુકા યોગ શિબિર નુ આયોજન કરવામાં આવ્યું જેમાં ૫૮૦ લોકો જોડાયા હતા.

સમરોલી સરપંચશ્રી અને ગામના સેવા ભાવી કલ્પેશ ભાઈ એ નોંધનીય ફાળો આપ્યો હતે. સમગ્ર ટીમ ચીખલી ડોર ટુ ડોર પ્રચાર કરી ચીખલી તાલુકા ને યોગમય બનાવ્યો હતો.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગસેવક શીશપાલજીના નેતૃત્વમાં અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી તથા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના ‘ફિટ ઇન્ડિયા’ અને ‘સ્વસ્થ ગુજરાત’ના વિઝનને સાકાર કરવા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ખાસ કરીને યુવા પેઢીને યોગ તરફ વાળવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.

સૂર્ય નમસ્કાર એ યોગનું એક સર્વગ્રાહી આસન છે, જેના અનેકવિધ ફાયદા છે. જેનાથી વજન અને પેટની ચરબી ઘટાડે છે, પાચનતંત્ર અને સ્નાયુઓ મજબૂત કરે છે. ઉપરાંત તણાવ, ચિંતા અને અજંપો ઘટાડી એકાગ્રતા અને સ્મરણશક્તિ વધારે છે. તેમજ પ્રાણશક્તિમાં વધારો કરે છે અને આંતરિક શાંતિ પ્રદાન કરે છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના સ્ટેટ કો ઓર્ડીનેટર શ્રી અનિલભાઈ ત્રિવેદી ના અધ્યક્ષતા માં યોગ  સત્ર નુ આયોજન કરવામાં આવ્યું હતું. અને ઝોન કો ઓર્ડીનેટર શ્રી પ્રીતિબેન પાન્ડે અને જિલ્લા કો ઓર્ડીનેટર શ્રી ગાયત્રી બેન તલાટી ના માર્ગદર્શન મા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!