BANASKANTHAGUJARATPALANPUR

વડગામ ખાતે ટ્રાફિક અવેરનેસ માર્ચ યોજાઈ

6 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી માણિભદ્ર વિર વિદ્યામંદિર મગરવાડા, વડગામપોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે ગુરૂવારે ટ્રાફિક અવેરનેસ માર્ચ નું  આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શ્રી માણિભદ્ર વિર વિદ્યામંદિર, મગરવાડા તથા વડગામ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી એક  ટ્રાફિક અવેરનેસ માર્ચનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના સ્કાઉટ–ગાઈડના વિદ્યાર્થીઓ, શાળા પરિવાર, શિક્ષકો તેમજ વડગામ પોલીસ સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાળા પરથી પ્રારંભ થયેલી આ માર્ચ વડગામ પોલીસ સ્ટેશન સુધી યોજાઈ હતી.કાર્યક્રમ દરમિયાન વડગામ પોલીસ સ્ટેશનના પીઆઈ  એમ.એન. સોલંકી  દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની મહત્વતા સમજાવવામાં આવ્યું હતું.તસવીર:- અહેવાલ:- પુષ્કર ગોસ્વામી વડગામ.

Back to top button
error: Content is protected !!