BANASKANTHAPALANPUR
આદર્શ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર ખાતે માનસિક વિકાસને ઉત્તેજન આપતો કાર્યક્રમ યોજાયો

20 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર ખાતે કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉ.અલકાબેન મેવાડા (બાળ વિકાસ વિષય નિષ્ણાંત) ના માર્ગદર્શન હેઠળ કોલેજના અધ્યાપિકા વૈશાલી પ્રજાપતિ એ બી.એ.સેમ-૩ ના વિદ્યાર્થીઓમાં બોધન માહિતી પ્રક્રિયા કરણનો ખ્યાલ કેળવવા બોધાત્મક મનોવિજ્ઞાન વિષય અંતર્ગત વેસ્ટમાંથી બેસ્ટ TLM તૈયાર કરાવી તા-11/8/2026 થી તા-13/8/2026 સુધી ત્રણ દિવસ પૂર્વ પ્રાથમિક શાળાના બાળકોના માનસિક વિકાસને ઉત્તેજન આપતી પ્રવૃત્તિઓ કરાવી બૌદ્ધિક વિકાસનું નિરીક્ષણ કરવામાં આવેલ. વિદ્યાર્થીઓના હસ્તે બનાવેલ આકર્ષક અને સુંદર ટીચિંગ લર્નીગ મટેરિયલ જોઈને બાળકોની કુતુહલતા અને જિજ્ઞાષાવૃત્તિમાં પણ વધારો જોવા મળ્યો હતો.





