JODIYA:જોડીયાના બાલંભા માં કૃષ્ણમય માહોલ વચ્ચે જન્માષ્ટમી ની ભવ્ય શોભા યાત્રા નીકળી.




JODIYA:જોડીયાના બાલંભા માં કૃષ્ણમય માહોલ વચ્ચે જન્માષ્ટમી ની ભવ્ય શોભા યાત્રા નીકળી.


રીપોર્ટ ( લલીતભાઈ નિમાવત ) બાલંભા ખાતે ભગવાન કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમી નિમિત્તે બાલંભા ગામ જનો દ્વારા એક ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલ હતી નંદ ઘેર આનંદ ભયોના નાદ અને ભગવાન કૃષ્ણ ના જય ઘોષ સાથે બાલંભા જોડીયા નાકા બાપા સીતારામ મઢી થી પ્રારંભ થઈ ગામના મુખ્ય માર્ગો ઉપર ભૈરવનાથ ડીજે ના સથવારે વાજતે ગાજતે નીકળી હતી શોભાયાત્રા ને લઈને સમગ્ર બાલંભા ગામ કૃષ્ણ મય બની ગયું હતું. આ શોભાયાત્રામાં ધાર્મિક અને સાંસ્કૃતિક અલગ અલગ ચાર જગ્યા ઉપર મટકી ફોડ ના કાર્યક્રમનું આયોજન કરેલ મટકી ફોડ અને ધાર્મિક જાંખીઓ આકર્ષણ ના કેન્દ્ર બન્યા હતા આ ભવ્ય શોભા યાત્રામાં વિશાળ સંખ્યામાં ગ્રામજનો આગેવાનો જોડાયા હતા અને ભગવાન કૃષ્ણના જન્મોત્સવ ની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરી પૂર્ણાહુતિ કરવામાં આવેલ હતી



