સિદ્ધપુર શહેરને પવિત્ર યાત્રાધામ તરીકે જાહેર કરવા દેશના પ્રધાનમંત્રી શ્રી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિગેરે ને રજુઆત કરવામાં આવી.*
*સિદ્ધપુર શહેરને પવિત્ર યાત્રાધામ તરીકે જાહેર કરવા દેશના પ્રધાનમંત્રી શ્રી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિગેરે ને રજુઆત કરવામાં આવી.*
*પવિત્ર ઐતિહાસિક માતૃગયા તિર્થક્ષેત્ર સિદ્ધપુર શહેરને ગુજરાત સરકાર દ્વારા પવિત્ર યાત્રાધામ જાહેર કરવા ભારતના વડાપ્રધાનશ્રી માન. નરેન્દ્રભાઈ મોદી સાહેબને વિગતવાર મુદ્દાઓ સહિત માહિતી સાથે આવેદનપત્ર થકી રજુઆત કરી, આ મહત્વના ધાર્મિક સ્થળ તરીકે માન્યતા આપી સિદ્ધપુરને યાત્રાધામ તરીકે યોગ્ય સ્થાન આપવા કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી કાર્યવાહી કરી જરૂરી આદેશ કરવા માંગણી કરવામાં આવી, અને જે આવેદનપત્ર ની પ્રત રાજ્યના માન. મુખ્યમંત્રી શ્રી માન. ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સિદ્ધપુર ના ધારાસભ્ય શ્રી અને ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રીશ્રી માન. બળવંતસિંહ રાજપૂત સાહેબ તથા રાજ્યના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગર ને આપી સત્વરે સિદ્ધપુર શહેરને રાજ્યના પવિત્ર યાત્રાધામો માં સમાવેશ કરવા વિનંતી કરવામાં આવી
વાત્સલ્યમ દૈનિક સમાચાર
બળવંત રાણા, સિદ્ધપુર