ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્વારા આણંદ શહેરની ૧૩ પેઢીઓની તપાસ કરી ૧૮ નમુના લેવાયા

આણંદ ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્વારા આણંદ શહેરની ૧૩ પેઢીઓની તપાસ કરી ૧૮ નમુના લેવાયા

 

 

 

લાંભવેલ રોડ પર આવેલ ખાણી-પીણીની ૧૨ લારીઓની તપાસ કરી

 

 

 

તાહિર મેમણ આણંદ, 24/10/2023- સોમવાર :આણંદ જિલ્લાની ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્વારા આગામી તહેવારોને અનુલક્ષીને લાંભવેલ રોડ પર આવેલ ખાણીપીણીની ૧૨ લારીઓની તપાસ કરી બીનઅરોગ્યપ્રદ ખાદ્યચીજના ૮ કિલોગ્રામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે તેમજ આણંદ શહેરની ૧૩ પેઢીઓની તપાસ કરી ખાદ્યચીજના ૧૮ નમુના લઈ પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા છે.

 

જે અંતર્ગત મિસરી ફુડ પ્રોડકટ, બોરસદ ખાતેથી ખારી લુઝ અને મેંદો લુઝ, લાલમણી માવાવાલા, સામરખા ખાતેથી મોળોમાવો લુઝ અને મેગો બરફી લુઝ, રામલાલ માવાવાળા, સામરખા ખાતેથી મીઠોમાવો લુઝ અને સેકેલો માવો લુઝ, ખોડીયાર નાસ્તા હાઉસ, આણંદ ખાતેથી ફાફડા નમકીન લુઝ, શ્રી મહાલક્ષ્મી નાસ્તા હાઉસ, આણંદ ખાતેથી ફાફડા નમકીન લુઝ અને જલેબી મીઠાઈ લુઝ, એવન્યુ સુપરમાર્ટ, વિદ્યાનગર ખાતેથી ડાયનામીક્ષ ગાયનું ઘી (કંપની પેક) અને આબાદ ઘી (કંપની પેક), અયાન સેલ્સ, વાસદ ખાતેથી શ્રી સરસ એગ્માર્ક ધી(કંપની પેક), રીલાયન્સ રીટેલ લી. આણંદ ખાતેથી ગોલ્ડ લાઇફ ગાયનું ઘી (કંપની પેક), મિત ટ્રેડર્સ, સાંગોડપુરા ખાતેથી સુકુન પ્રીમિયમ ગાયનું ઘી (કંપની પેક), દેવ પુજન વસ્તુ ભંડાર, આંકલાવ ખાતેથી રીધમ પ્રીમિયમ ઘી (કંપની પેક), રામ ટ્રેડર્સ, આસોદર ખાતેથી પતંજલી ન્યુ ગાયનું ઘી તેમજ શ્રૃતિ એજન્સી, આણંદ ખાતેથી અમૃત ગાયનું ઘીના નમુના લઈ તમામ નમુનાઓને પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, આણંદના ડેઝિગ્નેટેડ ઓફિસરની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!