06 જુન 2023
વાત્સલ્ય સમાચાર
હર્ષલ ખંધેડિયા જામનગર
…
જામનગર જીલ્લા ના કાલાવડ શહેર માં આવેલ શ્રી સરસ્વતી શિશુમંદિર શૈક્ષણિક સંકુલમાં આજે પ્રથમ દિનોત્સવ ઉજવાયો. જેમાં સંકુલનાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી સરસ્વતી વંદના અને ત્યારબાદ શાળાના પ્રથમ દિવસે આવેલા વિદ્યાર્થીઓએ યજ્ઞમાં આહુતિ આપી હતી. તેમજ શિક્ષકો દ્વારા પર્યાવરણ જાગૃતિ ની સમજ આપી તેમજ શાળાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનું ભાવ ભર્યું સ્વાગત કર્યું હતું.