MULISURENDRANAGAR

મુળીના રામપર ગામની સીમમાં વાડીએ ખેત મજુરની ક્રુર હત્યા

તા.19/06/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

કામ કરવાં બાબતે મૃતકે ગાળો બોલતાં ખુની ખેલ ખેલાયો.

મુળી તાલુકાનાં છેવાડાના ગામ એવાં રામપર ગામની સીમમાં વાડીએ ખેત મજુરોમાં મારામારી નો ખેલ ખેલાયો હતો જેમાં એક ખેત મજુરનું ધારીયાનાં ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી છે આ રાત્રીના બનાવની વિગતો મુજબ મુળીનાં રામપર ગામની સીમમાં વાડી ધરાવતા હળવદ તાલુકાના સુંદરી ભવાનીનાં જીલુભાઈ મશરુભાઈ ની વાડીએ ખેત મજુરી કામ કરવાં આવેલાં છોટાઉદેપુરનાં વિઠ્ઠલ કાનજીભાઈ તડવી અને મધ્યપ્રદેશનાં બદ્રીનાથ ઉર્ફે ઉસ્તાદ ફુલસિગ ઉ.વ.૪૫ વચ્ચે કામ બાબતે બોલાચાલી થ‌ઈ હતી અને ગાળો બોલતાં જેમાં આરોપી વિઠ્ઠલે બદ્રીનાથ ઉર્ફે ઉસ્તાદને ધારીયાનાં ઘા ઝીંકી દીધા હતા માથાના ભાગે મોઢાનાં ભાગે ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખી હતી આ બનાવમાં વાડી માલિક જીલુભાઈ દ્વારા મુળી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવેલ છે જેમાં આરોપી વિઠ્ઠલ કાનજીભાઈ છોટાઉદેપુર વાળા વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી સાથે તપાસ હાથ ધરવામાં આવી છે અને લાશને પી.એમ માટે રાજકોટ ખસેડવામાં આવી છે તેમ માહિતી મળી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!