SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

વેકેશનમાં બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી દેરાસર ઉપાશ્રયોમાં પક્ષાલ પુજા શિબિર પ્રભાવનાનું કરાયું આયોજન

તા.28/05/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં જૈન સોશિયલ ગ્રુપ સિલ્વર દ્વારા વેકશન દરમિયાન બાળકોમાં ધાર્મિક સંસ્કારનું સિંચન થાય તે હેતુથી દેરાસરમાં પક્ષાલ પુજા તથા ઉપાશ્રયમાં જાપ તથા બાળકો માટે પ્રભાવના નું આયોજન કરવામાં આવે છે દર રવિવારે બાળકો જિનાલયમાં પક્ષાલ પૂજા કરવા આવે તેને સુંદર મજાની ગીફ્ટ આપવામાં આવે છે તેમજ ઉપાશ્રયમાં જાપ કરવા આવે તેને પણ સરસ મજાની ગીફ્ટ સિલ્વર ગ્રુપ તરફથી દાતાના સહયોગથી આપવામાં આવે છે જેમાં અંદાજે 480 ની આસપાસ બાળકોની નોંધણી થાય છે તારીખ ૩૦ મી અપ્રિલ થી ૨૮ મે સુધી દર રવિવારે સવારે અલગ અલગ જિનાલયોમાં પક્ષાલ પૂજા ઉપાશ્રયોમાં શીબીર જેવા ધાર્મિક કાર્ય ને સફળ બનાવવા જૈન સોશ્યલ ગ્રુપ સિલ્વરના પ્રમુખ કૃણાલભાઈ મહેતા, સૌરાષ્ટ્ર રીજીયન સેક્રેટરી હિરેનભાઈ પરીખ, પ્રોજેક્ટ ચેરમેન કૃનાલભાઈ બાવીસી, શ્રેણીક્ભાઈ શાહ, પ્રતિકભાઈ શાહ, પંકીલભાઈ ધોળકિયા અને સુનીલભાઈ કોટક તથા સર્વ કારોબારી મેમ્બર આયોજન કરી રહ્યા છે તારીખ ૩૦-૦૪-૨૦૨૩ ના રોજ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જીનાલય મેહતા માર્કેટ, તારીખ ૦૭-૦૫-૨૦૨૩ ના રોજ શ્રી નેમિનાથ પ્રભુ જીનાલય ઉદ્યોગનગર, તારીખ ૧૪-૦૫-૨૦૨૩ ના રોજ શ્રી સીમંધર સ્વામી દેરાસર ઘર હો તો એસા, તારીખ ૨૧-૦૫-૨૦૨૩ ના રોજ શ્રી શીતલનાથ સ્વામી દેરાસર જુના જકાત નાકા પાસે પક્ષાલ પુજાનું આયોજન કરવામાં આવેલ પાસે અને તારીખ ૨૧-૦૫-૨૦૨૩ શ્રી આદિનાથ ઉપાશ્રયમાં શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સૌરાષ્ટ્ર રીજીયન ચેરમેનશ્રી કાર્તિકભાઈ શાહની ઉપસ્થિતિમાં તારીખ ૨૮-૦૫-૨૦૨૩ ના રોજ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જીનાલય જોરાવરનગર ખાતે પક્ષાલ પૂજા અને શ્રીશાંતિનાથ જિનાલય, દિગંબર જૈન મંદિર, હવેલી ચોક ભગવાનની ભાવના ભક્તિનું આયોજન કરવામાં આવ્યું.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!