તા.૦૮.૦૯.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત અભિયાન ની પ્રથન વર્ષ ગાંઠની ઉજવણી
પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત અભિયાનને ભારતના માન. રાષ્ટ્રપતિશ્રી દ્વારા 9મી સપ્ટેમ્બર 2022 દિવસે શરૂ કરવામાં આવેલ હતું જે કાર્યક્રમની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવાનું આયોજન આગામી 9મી સપ્ટેમ્બર થી 23 સપ્ટેમ્બર 2023 સમય ગાળા દરમિયાન જીલ્લામા વિવિઘ કાર્યક્રમો દવારા કરવામાં આવશે જેમાં 9 મી તારીખે તમામ હેલ્થ ઍન્ડ વેલનેસ સેન્ટર ખાતે આરોગ્ય મેળા , દર્દીઓની તપાસ અને જનજાગૃતિ કાર્યક્રમ તથા જીલ્લા અને તાલુકા કક્ષાએ રેલી બાઈક રેલી સાયકલ રેલી , સ્કૂલ અને કોલેજમાં અવરનેસ કાર્યક્રમ, નિક્ષય મિત્રનું બહુમાન, હાટ ની અંદર ભવાઈ કાર્યક્રમ, માઇકિંગ, સોશ્યલ મીડિયા દવારા પ્રચાર પ્રસાર કરવામાં આવશે તેવું જીલ્લા ક્ષય અધિકારી ડૉ આર. ડી. પહાડીયા દવારા જણાવવામાં આવેલ છે