HALOLPANCHMAHAL

હાલોલ નગરમાં શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરાઈ,નગરમાં યોજાઇ ભવ્ય શોભાયાત્રા

તા.૨૨.એપ્રિલ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ નગર ખાતે શનિવારના રોજ અજર અમર ભગવાન શ્રી પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા હાલોલ અને શ્રી પરશુરામ ઉત્સવ સમિતિ દ્વારા નગરના પાવાગઢ રોડ પર તળાવની પાર પર આવેલ શ્રી શારનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી શ્રી પરશુરામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી.જ્યારે બંને શોભાયાત્રા માં કંજરી રામજી મંદીરનાં મહંત શ્રી પ.પુ. રામચરણદાસજી મહારાજ,હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર,સહકારી સંઘના ડિરેક્ટર મયૂરધ્વજ સિંહ પરમાર તેમજ રાજકીય તેમજ સામાજિક મહાનુભાવો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા. જે શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર પર ફરી હતી.જેમાં ભગવાન શ્રી પરશુરામના જયકારા સાથે ભક્તજનો ભગવાનના સ્તુતિગાન કરતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.જ્યારે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ માતૃસંસ્થા હાલોલ દ્વારા નગરના કંજરી રોડ પર આવેલ ગણપતિ મંદિર ખાતેથી પણ એક ભવ્ય શોભાયાત્રા શ્રી પરશુરામ ભગવાનની યોજાઇ હતી.જે શોભાયાત્રા ગણપતિ મંદિર ખાતેથી નીકળી રામેશ્વર મહાદેવ મંદિર સુધી ભારે ધાર્મિક વાતાવરણમાં શ્રી પરશુરામ ભગવાનના ગુણગાન અને સ્તુતિગાન કરતા પહોંચી હતી.અને ત્યાં ભગવાનની પૂજા અર્ચના કરી તેઓના ચરણોમાં શીશ ઝુકાવી બ્રહ્મ સમાજના લોકો સહિત શોભાયાત્રામાં જોડાયેલા તમામ લોકોએ આશીર્વાદ લઇ ધન્યતા અનુભવી હતી.જેમાં અખાત્રીજના પાવન પર્વે હાલોલ નગર ખાતે અજર અમર ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની ભારે રંગેચંગે ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે શોભાયાત્રામાં વિવિધ ભગવાનના સ્વરૂપ દર્શાવતા વેશભૂષા ધારણ કરી ટ્રેક્ટર માં સવાર થયેલા બાળકો અને યુવાનો સહિત લોકો જોડાયા હતા.જેમાં બંને અલગ અલગ શોભાયાત્રામાં બ્રહ્મ સમાજના અગ્રણીઓ સહિત મહાઅનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!