વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે તેમના સ્વચ્છતા અંગેના આદર્શ વિચારોને સાર્થક કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં નવસારી જિલ્લાના ગ્રામજનોની જન ભાગીદારી થકી વધુ વ્યાપક અને અસરકારક બન્યું છે.
સ્વચ્છતા અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકાના દાંડી ગામના બસ ડેપો ખાતે સાફ-સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત દાંડી ગામના જાહેર સ્થળો પર પણ ગ્રામજનો દ્વારા ઉત્સાહભરે સહભાગી થઈને સ્વચ્છતા ઝુંબેશને વેગવંતી બનાવી હતી.