MORBIMORBI CITY / TALUKO

મોરબીની માધાપરવાડી શાળામાં રાષ્ટ્રીય કૃમિ નાશક દિનની ઉજવણી

મોરબીની માધાપરવાડી શાળામાં રાષ્ટ્રીય કૃમિ નાશક દિનની ઉજવણી

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

માધાપરવાડી કુમાર અને કન્યા શાળાના 750 જેટલા વિદ્યાર્થીઓને કૃમિનાશક ગોળી ગળાવવામાં આવી

 

મોરબી,હાલ નાના બાળકો અને વિદ્યાર્થીઓમાં કૃમીનું પ્રમાણ જોવા મળે છે,કૃમિના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર હાનિકારક અસરો જોવા મળે છે જેમકે લોહીની ઉણપ,કુપોષણ, ભૂખ ન લાગવી,બેચેની,પેટમાં દુખાવો ઉલટી અને ઝાડા તેમજ વજન ઓછું થવું વગેરે દર્દો જોવા મળે છે જેથી 10,ફેબ્રુઆરીનો દિવસ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ તરીકે ઉજવવાના ભાગ રૂપે આંગણવાડી અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કૃમિનાશક ગોળી ગળાવવામાં આવે છે..

એ નિમિતે માધાપરવાડીવાડી કુમાર અને કન્યા શાળા એમ બને શાળાના 750 જેટલા વિદ્યાર્થીઓને પીએચસી બગથળાના ડો.હિરેન વાંસદડીયા અને આરોગ્ય કાર્યકર દિનેશભાઈ મિયાત્રાના માર્ગદર્શન હેઠળ સરપંચ ડો.ગણેશભાઈ નકુમ, દિનેશભાઈ વડસોલા, તુષારભાઈ બોપલીયા વગેરેએ પોતાના હાથથી વિદ્યાર્થીઓને કૃમિનાશક ગોળીઓ ગળાવીને રાષ્ટ્રીય કૃમિનાશક દિનની ઉજવણી કરી હતી.સમગ્ર કાર્યક્રમમાં બંને શાળાના સમગ્ર સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!