સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગની પોલીસ સાથે રાખીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તા.26/08/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
થાનગઢ સાયલા પંથકમાં મોટાપાયે ગેરકાયદેસર ખનીજચોરી થતી હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ અધિકારી નિરવ બારોટ અને થાનગઢ પોલીસની સંયુકત ટીમે રૂપાવટી ભાડુકાથી જામવાળી રોડ વચ્ચે ચેકીંગ કર્યુ હતુ.ચેકીંગ દરમિયાન 100 મેટ્રીક ટન કાર્બોસેલ કિંમત રૂ.ત્રણ લાખનો બિનવારસિ હાલતમાં મળી આવતા જપ્ત કરી મામલતદાર ઓફીસ થાનગઢ ખાતે સિઝ કરી દેવાયો હતો બીજી તરફ સાયલાના કેસરપર ગામની સિમમાં પણ ઉંડા ખાડા ખોદી ગેરકાયદે રીતે કાર્બોસેલની ખનીજ ચોરી થતી હોવાની બાતમીના આધારે ટીમે ત્યાં પણ રેડ કરી હતી રેડ દરમિયાન આઠ જગ્યાએ ઉંડા ખાડા ખોદીને ચરખીઓ, લોખંડના પાઇપ વડે ગેરકાયદેસર ખનીજ ચોરી કરવાનું રેકેટ ઝડપાયુ હતુ. આ સ્થળેથી ચરખીઓ અને લોખંડના પાઇપ સહિત રૂ. અઢી લાખનો મુદમાલ જપ્ત કરી ખાણ ખનીજ વિભાગે સુરેન્દ્રનગર ખનીજ કચેરી ખાતે લઇ જઇ સિઝ કરી કાર્યવાહી હાથ ધરી હતી આમ ખનીજ વિભાગની ટીમ વારંવાર દરોડા કરી લાખો રૂપિયાનો મુદમાલ જપ્ત કરે છે પરંતુ ખનીજ ચોરી કરતા શખ્સો ટીમની રેકી કરતા હોવાથી ગાયબ થઇ જાય છે અને બિનવારસિ મુદમાલ જ ઝડપાય છે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.