જોશીમઠની વધુ 22 ઈમારતોમાં તિરાડો દેખાઈ હતી. આ રીતે હવે આવી ઇમારતોની સંખ્યા વધીને 782 થઈ ગઈ છે. દરમિયાન, જોશીમઠમાં જમીન ધસી જવાને લઈને વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. ગ્રાઉન્ડ સર્વે મુજબ, કેટલાક ભાગોમાં 2.2 ફૂટ એટલે કે 70 સેમી સુધી જમીન ધસી છે.
થોડા દિવસો પહેલા ISROએ તેના અહેવાલમાં સાત મહિનામાં 9 સેમી જમીન ઘટવાની વાત કરી હતી. ગ્રાઉન્ડ સર્વેનો આ રિપોર્ટ ઈસરો કરતા પણ વધુ ડરામણો છે. જોશીમઠના સેંકડો ઘરોમાં તિરાડો અટકવાનું નામ નથી લઈ રહી. રાહત શિબિરોમાં આશરો લઈ રહેલા લોકો સરકાર તરફ જોઈ રહ્યા છે.