તા.૨૮/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટવાસીઓ સાતમ – આઠમના તહેવાર ઉપર લોકમેળાની મજા સંપૂર્ણ રીતે માણી શકે તેના સુગમ આયોજન માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્રની લોકમેળાની વિવિધ સમિતિઓ સક્રિય રીતે કામગીરી કરી રહી છે. જે અંતર્ગત આજરોજ જૂની કલેકટર કચેરીના સભાખંડ ખાતે લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષશ્રી કે.જી.ચૌધરીના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ સમિતિઓના અધ્યક્ષશ્રીઓ, સહ – અધ્યક્ષશ્રીઓ અને સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં વિવિધ સમિતિના સભ્યશ્રીઓ સાથે આજદિન સુધી કરવામાં આવેલી કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ફ્રી પાર્કિંગ એરિયા, સી.સી.ટી.વી કેમેરા, બેરીકેટિંગ, લાઈટ, સ્ટેજ વ્યવસ્થા, પ્રચાર – પ્રસાર, પીવાના પાણીની વ્યવસ્થા સહિતની બાબતો અંગે સમીક્ષા કરવામાં આવી હતી. લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તેમજ તંત્ર નાગરિકોને મદદરૂપ બની શકે તે માટે લોકમેળાના છેલ્લા દિવસ સુધી કન્ટ્રોલરૂમને સક્રિયતાથી કાર્યરત રહેવા પર ભાર શ્રી ચૌધરીએ આ બેઠકમાં મૂક્યો હતો.
લોકમેળા અમલીકરણ સમિતિના સભ્યો તથા સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહયા હતા.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.