6 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
જય શ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય મોટાસડા ખાતે 5 મી સપ્ટેમ્બર ના રોજ સ્વયં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી જેમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ ઍ તમામ વિષય ના એક દિવસના શિક્ષકો ની ભૂમિકા ભજવી હતી ધોરણ 12 ના વિદ્યાર્થી પરમાર યુવરાજસિંહ એક દિવસના આચાર્ય બન્યા હતા શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ ખુબ સુંદર શિક્ષણ કાર્ય કર્યું હતું શાળાના સ્ટાફ તરફથી વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવ્યો હતો અંતમાં શિક્ષક બનેલા તમામ વિદ્યાર્થીઓએ પોતાના એક દિવસના અનુભવો રજૂ કર્યા હતા. શાળાના શિક્ષક શ્રી દિપકભાઈ પ્રજાપતિ દ્વારા નિર્ણાયકશ્રીઓએ તૈયાર કરેલ પરિણામ રજૂ કરવામાં આવ્યુ હતુ ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા ઇનામ પણ આપવામાં આવ્યા હતા. આચાર્યશ્રી ડી.ટી રાઠોડ સાહેબે તમામ વિદ્યાર્થીઓને અને સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા શિક્ષક દિનની ઉજવણીનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા શ્રીમતી હેતલબેન રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.