DAHOD

દેવગઢ બારીયા નગર મા એક દંપતી ઉપર મકાન પચાવા બાબતે લેન્ડ ગ્રબીગ ની અરજી દાખલ થઈ 

તા.૨૨.૦૭.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

દેવગઢ બારીયા નગર મા એક દંપતી ઉપર મકાન પચાવા બાબતે લેન્ડ ગ્રબીગ ની અરજી દાખલ થઈ

દેવગઢ બારીયા પોલીસે અટકાયત કરી મામલતદારમાં જામીન માટે રજૂ કરાયા મામલતદાર કચેરી દ્વારા એ જવાબ પંચકેસ કરી પ્રકરણ પ્રાંતમાં સોપાયું

દેવગઢબારિયા નગરમાં 64 દુકાનો સામે લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ દાખલ કરી પોતાને સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર સમજતા નગર ના એક દંપતી સામે મિલકત ભાડે રાખી ને છેલ્લા કેટલાક સમયથી ભાડું નહીં આપી ખાલી નહીં કરતા ગુજરાત સરકારનો નવો કાયદો લેન્ડ ગેબીંગ અંતર્ગત અરજી કરવામાં આવી આ અરજી કરતા દેવગઢબારિયા પોલીસ દ્વારા અટકાયતી લઈ કાર્યવાહી હાથ ધરી છે

દેવગઢબારિયા નગરમાં છેલ્લા કેટલાય સમયથી શકચાર એવું સરકારી જમીન અને ખાનગી જમીનનું વિવાદશપત શોપિંગ સેન્ટરમાં અરજી કરનાર અને પોતાને સત્યવાદી કહી ગૌસેવક નું બિરૂદ લઈને આરટીઆઈઓની અરજી કરતા સંજય જવાહર પરમાર અને તેની પત્ની વનિતા સંજય પરમાર 2020 મુજબ દેવગઢ બારીયાના પૂર્વ પ્રમુખના પતિ નીલ રશ્મિકાંત સોની દ્વારા દાખલ કરવામાં આવી છે જેમાં જણાવ્યું કે દેવગઢબારિયા સુથારવાળા વિસ્તારમાં સીટી સર્વે નંબર 1661 નું મકાન તેમના પિતા રશ્મિકાંત રસિકલાલ સોની તથા નીલ રશ્મિકાંત સોની ના સંયુક્ત નામે ચાલે છે આ મિલકત માં ઉપરના માળે તેઓના મધર નું બ્યુટી પાર્લર ચાલતું હતું તેઓના માતૃ નો આકસ્મિક મૃત્યુ થતાં આ ચાલુ બ્યુટી પાર્લર માલ સામાન ફર્નિચર સાથે સંજયભાઈ જવાહરભાઈ પરમાર તથા વનિતાબેન સંજય પરમાર ને એક સારા વ્યક્તિ તરીકે ભાડે આપ્યું હતું પરંતુ વર્ષ 2018 થી તેઓની દાનત બગડતા છેલ્લા કેટલાય મહિનાથી ભાડું પણ આપ્યું નથી અને ગેરકાયદેસર કબજો જમાઈને બેઠા છે નગરપાલિકા દ્વારા આ જર્જરિત મિલકત ઉતારવાની નોટિસ મળતા મકાન માલિકે તેઓને રિક્વેસ્ટ કરી રજૂઆત કરી કે ભાઈ તમે આ મકાન ખાલી કરી દો પરંતુ તેઓ ખાલી ન કરાતા મુજબ ની અરજી નીલ સોની દ્વારા દાખલ કરવામાં આવી છે જે અંતર્ગત મામલતદાર કચેરી દ્વારા સ્થળનો જવાબ પંચકેસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જ્યારે પોલીસ દ્વારા પણ તેઓના અટકાયતી પગલાં લઈ મામલતદાર ખાતે જમીન માટે રજૂ કરાયા હતા આ દેવગઢ બારિયામાં પોતે રાજકીય આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા ગૌરક્ષક અને આરટીઆઈ કાર્યકર્તા તરીકે લોકોને અરજી કરવાની ધમકી આપતા સંજય જવાહર પરમાર સામે અરજી દાખલ કરતા દેવગઢબારિયા નગરમાં ટોક ઓફ ધી ટાઉન મુદ્દો બન્યો છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!