કલેકટર શ્રી દ્વારા નવીન પહેલના ભાગરૂપે શરૂ કરાયેલ સરપંચ સંવાદ કાર્યક્રમમાં રજૂ થયેલ પ્રશ્નોના નિરાકરણ અર્થે સંબંધિતોનેજરૂરી સૂચનાઓ આપતા કલેક્ટર શ્રી,ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા,જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોશ્રીની ઉપસ્થિતિ જન સમસ્યાઓને ઉકેલવા જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવાસિયા દ્વારા સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જે અન્વયે આજ રોજ જૂનાગઢ તાલુકાનો સરપંચ સંવાદ કાર્યક્રમ કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસીયાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને આજ રોજ કલેકટર કચેરી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં સરપંચશ્રીઓએ લોક પ્રશ્નો રજૂ કર્યા હતા. જૂનાગઢના ૫૯ ગામોના કુલ ૪૩ સરપંચો આ સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સરપંચશ્રીઓ દ્વારા કુલ ૩૮ લોક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.કલેકટર શ્રી એ સંબંધિત અધિકારીશ્રીઓને સરપંચશ્રીઓના પ્રશ્નો અંગે લેખિતમાં જવાબો રજૂ કરવા અને આગામી તાલુકા સંકલન ની બેઠકોમાં તમામ પ્રશ્નો ચર્ચામાં લેવા સૂચના આપી હતી.આ તકે સરપંચશ્રીઓઓ દ્વારા કલેક્ટરશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. આજ રોજ યોજાયેલા સરપંચ સંવાદ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા દ્વારા શરૂ કરવામાં આવેલ આ નવતર પહેલ સરપંચ સંવાદ કાર્યક્રમને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ બિરદાવવામાં આવી છે.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રાંત અધિકારીશ્રી જૂનાગઢ, તાલુકા વિકાસ અધિકારી શ્રી જૂનાગઢ, મામલતદારશ્રી જૂનાગઢ ગ્રામ્ય એ જહેમત ઉઠાવી હતી.