જનસમસ્યાઓને ઉકેલવા જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા દ્રારા લોકપ્રશ્નો અર્થે સરપંચશ્રીઓ સાથે સંવાદ કાર્યક્રમ શરૂ કર્યો છે.જે અન્વયે વંથલી ખાતે કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને વંથલી તાલુકાના સરપંચશ્રીઓ સાથે લોકપ્રશ્નો અંગે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો વંથલી તાલુકા સેવા સદન,ખાતે સમગ્ર તાલુકાના સરપંચો સાથે કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને તેમના સ્થાનિક પ્રશ્નોને વાંચા આપતો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં કુલ-૨૪ ગામના સરપંચ/વહીવટદારોના વિવિધ સ્થાનિક પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.સરપંચો તરફથી રજુ થયેલ મુખ્યત્વે પ્રશ્નોમાં ખરાબ રોડ-રસ્તા રીપેરીંગ કરવા,નાળાપુલીયા બનાવવા,નવા ગામતળ નીમ કરવા,૧૦૦ ચો.વારના પ્લોટની ફાળવણી,પીવાના પાણી,પીવાના પાણીની ટાંકીઓ બનાવવી વિગેરે જેવા ૪૦ જેટલા પ્રશ્નો રજુ થયા હતા.આ કાર્યક્રમમાં નિતિ વિષયક બાબતો સિવાયના સ્થાનિક મોટા ભાગના પ્રશ્નોનું જે તે વિભાગના અધિકારી સાથે મળી હકારાત્મક અને નિર્ણાયક ઉકેલ કરવામાં આવ્યો હતો.તેમજ લગત વિભાગને કલેકટરશ્રી દ્વારા સ્થળ પર જ સુચનાઓ આપવામાં આવી હતી.વિશેષમાં કલેકટરશ્રી દ્વારા પીવાના પાણી બાબતના પ્રશ્નો અન્વયે તમામ ગામોને નર્મદા યોજના અન્વયે પાણી પહોંચતુ કરવા સૂચના આપવામાં આવી હતી.તથા પાણીની ટાંકી નવી બનાવવા બાબતે કલેકટરશ્રી હસ્તકની DMF ગ્રાન્ટમાંથી ગામોએ આવી ટાંકીઓ બનાવી આપવા, સાંતલપુર ગામે લીઝના ભારે વાહનો માટે અલગ રોડની માંગણી અન્વયે તે પ્રમાણેનો અલગથી મજબુત રોડ બનાવવા પણ સુચના સંબંધિત વિભાગને આપી હતી.આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન,વંથલી પ્રાંત અધિકારી શ્રી કનકસીંહ ગોહિલ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા પંચાયતના સભ્યોશ્રી કર્મચારીઓ હાજર રહ્યા હતા
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ