આપ’ કિસાન નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં સુરેન્દ્રનગર જિલ્લાના ભેટ ગામે ખેડૂત મીટીંગ યોજાઇ.
તા.03/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ખેડૂતો સિંચાઈનું પૂરતું પાણી ન મળવાથી હેરાન પરેશાન છે, તેમ છતાં પણ ભાજપ સરકાર તેમની વાત સાંભળવા તૈયાર નથી – રાજુભાઈ કરપડા
સિંચાઈના પાણી સહિતના પ્રાણ પ્રશ્નોને લઈ મજબૂત સંગઠન બનાવી તમામ મોરચે લડવાનો ખેડૂતોએ સંકલ્પ કર્યો – રાજુભાઈ કરપડા
ગતરાત્રે આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ અને જાણીતા ખેડૂત નેતા રાજુભાઈ કરપડાના નેતૃત્વમાં સુરેન્દ્રનગર જિલ્લાના ભેટ ગામે ખેડૂત મીટીંગ યોજાઇ હતી જેમાં આવનાર સમયમાં ખેડૂતોના સિંચાઈના પાણી સહિતના પ્રાણ પ્રશ્નોને લઈ મજબૂત સંગઠન બનાવી તમામ મોરચે લડવાનો ખેડૂતોએ સંકલ્પ કર્યો હતો આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડાએ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, જગતનો તાત અનેક દશકોથી સિંચાઈનું પૂરતું પાણી ન મળવાથી હેરાન પરેશાન છે તેમ છતાં પણ ભાજપ સરકાર તેમની વાત સાંભળવા તૈયાર નથી આજે ફરી એકવાર હું ભાજપના ગામડે ગામડે વસતા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જીતનાર નેતાઓને વિનંતી કરવા માગું છું કે તમે હવે ફક્ત એકવાર ખેડૂતોનો પક્ષ લો અને સિંચાઈના પાણીના પ્રશ્નોને હલ કરવા માટે ખેડૂતોની મદદ કરો તો હંમેશા અને તમારા આભારી રહીશું પરંતુ જો ભાજપ સરકાર અને તેના નેતાઓ ખેડૂતોની વાત નથી સાંભળતા તો આવનારા સમયમાં અમે મજબૂત સંગઠન બનાવીને તમામ મોરચે લડત લડવા માટે તૈયાર છીએ હું ઉમ્મીદ રાખું છું કે આવનાર સમયમાં જ્યારે પણ અમારા દ્વારા ખેડૂતો માટે આંદોલનની હાકલ કરવામાં આવે ત્યારે તમામ ખેડૂતો એકજૂટ થઈને પોતાના ઘરની બહાર નીકળશે અને સિંચાઈના પાણી માટે તથા પોતાના હક અને અધિકાર માટે લડત લડશે.