GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

તા.૧૬/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: કલેક્ટરશ્રી પ્રભવ જોશીનાં અધ્યક્ષસ્થાને રાજકોટ શહેર-જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી. બેઠકમાં કલેક્ટરશ્રીએ પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી તેમજ સાંસદશ્રી સહિતનાં પદાધિકારીશ્રીઓ દ્વારા અન્ન વિતરણ, ગ્રાહક સુરક્ષા બાબતે રજૂ કરાયેલા પ્રશ્નોનું નિરાકરણ કરવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.

બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીએ અનાજ અને પુરવઠો ગ્રાહકો સુધી સમયસર અને પૂરતા પ્રમાણમાં પહોંચતો રહે, વ્યાજબી ભાવની દુકાનો દ્વારા અનાજ વિતરણ નિયમિત રીતે થાય, નિયમિત દુકાનોની તપાસ કરવી, વિવિધ વિસ્તારોમાં “વન નેશન-વન રેશન”ના કેમ્પ યોજવા સહિતની બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ તકે સાંસદશ્રી રામભાઈ મોકરીયાએ અધિકારીશ્રીઓ તેમજ સમિતિના સભ્યોને રાશનની દુકાનોમાં નિયમિત રીતે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવા સુચન કર્યું હતું. મેયરશ્રી નયનાબેન પેઢડીયા, ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહ તેમજ શ્રી રમેશભાઈ ટીલાળાએ ઈ.કે.વાય.સી., શરૂ તેમજ બંધ દુકાનો વિશે વિસ્તૃત વિગત મેળવી જરૂરી કાર્યવાહી કરવા સુચના આપી હતી.

જિલ્લા પુરવઠા અધિકારીશ્રી રાજેશ્રીબેન વંગવાણી દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લામાં ‘વન નેશન વન રેશન કાર્ડ’ થકી થતા અનાજ વિતરણની વિગતો, ઘઉં, ચોખા, ખાંડ સહિતના પુરવઠાનું વિતરણ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે થયેલી કામગીરી અંગેની માહિતી આપવામાં આવી હતી. બેઠકમાં પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ સહિત સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!