GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી: 1.3 કરોડના ખર્ચે બનેલો ‘સરદારબાગ’ શોભાના ગાંઠિયા સમાન, કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીથી જનતામાં રોષ

 

MORBI:મોરબી:1.3 કરોડના ખર્ચે બનેલો ‘સરદારબાગ’ શોભાના ગાંઠિયા સમાન, કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીથી જનતામાં રોષ

 

મોરબી:મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના હાર્દ સમાન શનાળા રોડ પર કરોડો રૂપિયાના ખર્ચે મધ્યમ વર્ગ અને બાળકોના મનોરંજન માટે ‘સરદારબાગ’નું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. અંદાજે 1.6 કરોડ રૂપિયાના માતબર ખર્ચે તૈયાર થયેલો આ બગીચો અત્યારે સુવિધાઓના અભાવે અને તંત્રની ઉદાસીનતાના કારણે બદહાલી ભોગવી રહ્યો છે. છેલ્લા સાત દિવસથી બગીચાની મુખ્ય આકર્ષણ સમાન સુવિધાઓ ઠપ્પ હોવા છતાં કોન્ટ્રાક્ટર કે નગરપાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી.

સુવિધાઓના નામે ‘અંધેર નગરી’: લાઈટો ગુલ અને ફુવારા બંધ

સરદારબાગમાં આવતા મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણ ત્યાંનો મ્યુઝિકલ ફુવારો છે. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી આ ફુવારો શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે. મ્યુઝિક સિસ્ટમ પણ બંધ હાલતમાં છે, જેના કારણે સાંજના સમયે વિરામ લેવા આવતા નાગરિકોમાં નિરાશા જોવા મળી રહી છે. સૌથી ગંભીર બાબત તો એ છે કે સ્ત્રી અને પુરુષો માટેના શૌચાલયોમાં છેલ્લા સાત દિવસથી લાઈટો નથી. અંધારાના કારણે મહિલાઓ અને બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જાહેર મિલકત પર આટલો મોટો ખર્ચ કર્યા પછી પણ જો પાયાની સુવિધા જાળવી ન શકાતી હોય, તો આ ખર્ચનો અર્થ શું? તેવો પ્રશ્ન સ્થાનિકો ઉઠાવી રહ્યા છે.
## કોન્ટ્રાક્ટરની મનમાની અને તંત્રની રહેમનજર?
મોરબી મહાનગરપાલિકા દ્વારા સરદારબાગની જાળવણીનો જિમ્મો ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યો છે. નિયમ મુજબ, બગીચાની તમામ સુવિધાઓ ચાલુ રાખવી અને તેની મરામત કરાવવી એ કોન્ટ્રાક્ટરની પ્રાથમિક જવાબદારી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, બગીચામાં કામ કરતા કર્મચારીઓએ આ ખામીઓ અંગે અનેકવાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત વિભાગને જાણ કરી છે. ફરિયાદ કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું નથી. શું કોન્ટ્રાક્ટરને પાલિકાના સત્તાધીશોનો ડર નથી? કે પછી સત્તાધીશો જ કોન્ટ્રાક્ટરની આ બેદરકારી સામે આંખ આડા કાન કરી રહ્યા છે?


જનતાના ટેક્સના પૈસાનો વેડફાટ 1.3 કરોડ રૂપિયા એ જનતાના પરસેવાની કમાણીના પૈસા છે. જ્યારે બગીચો ખુલ્લો મુકાયો ત્યારે મોટા ઉપાડે પ્રચાર કરવામાં આવ્યો હતો કે મોરબીને એક આધુનિક પિકનિક સ્પોટ મળ્યું છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે દેખરેખના અભાવે આ મિલકત ધીમે ધીમે ખંડેર બની રહી છે. જો સાત દિવસ સુધી એક ફ્યુઝ કે લાઈટ બદલી શકાતી ન હોય, તો કોન્ટ્રાક્ટરને ચૂકવવામાં આવતા નાણાંનો વ્યય થઈ રહ્યો હોવાનું સ્પષ્ટ જણાય છે.

મુલાકાતીઓની વ્યથા બગીચામાં આવતા એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે, “અમે બાળકોને લઈને અહીં થોડી શાંતિ માટે આવીએ છીએ, પણ અહીં તો અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. આ પૂર્વે પણ ચાલવાના વોકિંગ પાથ પર ત્રણ સ્ટ્રીટ લાઇટો ચાર દિવસ સુધી બંધ રહી હતી જેની જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરાતા શરૂ કરવામાં આવેલ જ્યારે હાલ રાત્રિના 11:00 વાગ્યા સુધી લોકો ત્યાં ચાલવા આવતા હોય છે ત્યારે શૌચાલયમાં લાઈટ ન હોવાથી મહિલાઓને સુરક્ષાનો પણ ભય રહે છે. જો કોન્ટ્રાક્ટર કામ ન કરી શકતા હોય તો પાલિકાએ તેમનો કોન્ટ્રાક્ટ રદ કરવો જોઈએ.”

મુખ્ય પ્રશ્નો જેનો જવાબ જનતા ઈચ્છી રહી છે:

1. શું મહાનગરપાલિકાના અધિકારીઓએ ક્યારેય આ બગીચાની સરપ્રાઈઝ વિઝિટ લીધી છે?
2. ફરિયાદ મળવા છતાં કોન્ટ્રાક્ટર સામે દંડનીય કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી?
3. શું આ અંધારા પાછળ કોઈ મોટું કૌભાંડ છુપાયેલું છે?
4. જાળવણીના નામે લેવાતા લાખો રૂપિયાના બિલો કયા આધારે પાસ થાય છે?

મોરબીની જનતા હવે જાગૃત થઈ છે. કરોડોના ખર્ચે બનેલા સરદારબાગની આ દશા એ વહીવટી તંત્રની નિષ્ફળતાની ચાડી ખાય છે. જો આગામી દિવસોમાં ફુવારા, મ્યુઝિક સિસ્ટમ અને લાઈટો જેવી પ્રાથમિક સુવિધાઓ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં નહીં આવે, તો જનતામાં ઉગ્ર રોષ ફાટી નીકળવાની શક્યતા છે. તંત્રએ જાગવાની અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાની તાતી જરૂર છે.

Back to top button
error: Content is protected !!