GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ કુમાર શાળાના આચાર્ય સહિત સૌ શિક્ષકો અને બાળકો સાથે તિરંગા રેલી યોજી

તારીખ ૧૪/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
સરકાર ના પરિપત્ર મુજબ શાળાઓમાં તિરંગા યાત્રા કાઢી ને લોકોમાં જનજાગૃતિ ફેલાવવા માટે કાલોલ કુમાર શાળા તરફથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના તમામ બાળકો તિરંગા સાથે તેમજ કાલોલ કુમાર સ્ટાફ, એસ.એમ.સી સભ્યો અને વાલીગણ દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં ભારતની આઝાદીના અમૂલ્ય રત્નો ને યાદ કરી તેમના નારા સાથે કુમાર શાળા થી લઈ તેના આજુબાજુના વિસ્તારમાં લોકજાગૃતિ માટે તિરંગા રેલી કાઢવામાં આવી હતી.









