AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં મનરેગાના કામોમાં મશીનરીનો ઉપયોગ થતા જાગૃત નાગરિક દ્વારા અધિકારીઓ સામે ગુનો નોંધાવાની ચીમકી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં મનરેગા યોજના અંતર્ગત ગ્રામ પંચાયત કક્ષાએ ગામના લોકોને પોતાનાં ગામમાં જ રોજગારી મળે તેવા ઇરાદાથી ભારત સરકાર દ્વારા મનરેગા યોજના શરૂ કરી છે.જેમાં સરકાર દ્વારા કરાયેલ  જોગવાઈ પ્રમાણે લોકો જેતે ગ્રામ પંચાયત પાસે કામ માંગશે અને ગ્રામ પંચાયત લોકોને  સ્થાનિક  કક્ષાએ રોજગારી પૂરી પાડશે.આ કાયદામાં એમ પણ જણાવેલ છે કે જમીન સપાટ કરવાના કામો અને એના જેવા બીજાં પણ કામોમાં કોઈ પણ પ્રકારની મશીનરી જેવીકે JCB, ટ્રેક્ટર નો ઉપયોગ કરવાનો નથી જો JCB કે અન્ય મશીનો નો ઉપયોગ કરવામાં આવે તો આ કાયદામાં જણાવ્યા મુજબએ ગૂન્હો બને છે. પરંતુ આહવા તાલુકા પંચાયતની ચિકટિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આ નિયમોને સાઇડ પર મૂકીને  ખોટા દરખાસ્તો તૈયાર કરી મસ્ટરો કાઢવામાં આવેલ છે. અને ત્યાર બાદએ શ્રમિકોની જગ્યાએ ડમી શ્રમિકોની ફાઇલ તૈયાર કરવા ફક્ત ફોટા પાડવા માટે  જેતે કામની જગ્યાં ઉપર ઊભા કરવામાં આવેલ છે અને એ ફોટાઓ ફાઈલોમા મૂકવામાં આવ્યા છે. આ ગ્રુપ ગ્રામ પંચાયતમાં હાલમાં ચાલી રહેલ  જમીન સમથળના કામોમા મશીનના  ઉપયોગથી કરવામા આવેલ છે. જેના પૂરાવા પણ આ સાથે આપવામાં આવ્યા છે.આહવાનાં એક જાગૃત નાગરીક દ્વારા જણાવવામાં આવ્યું કે મજૂરો કામ જ નથી કરતા તો મજુરીના પૈસા કેમ ચૂકવવામાં આવે છે, સ્પષ્ટ દેખાય આવે છે કે આ યોજના સાથે જોડાયેલા તમામ કર્મચારીઓએની મીલીભગત કરીને ખોટા દસ્તાવેજૉ ઉભા કરી આ તમામ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.આહવા તાલુકાના ગામોમાં છેલ્લાં ચાર- પાંચ મહિનાથી કરવામાં આવેલ જમીન સમથળ કરવાના તમામ કામો JCB અને ટ્રેક્ટર જેવા મશીનના ઉપયોગથી કરવામાં આવ્યા છે જેના પુરાવાઓ આ તમામ કામોના સ્થાન પર જોવા મળે જ છે.આહવા તાલુકાની હદ વિસ્તારમાં છેલ્લાં ચાર – પાંચ મહિનાથી કરવામાં આવેલ તમામ કામોની તપાસ કરી એક સ્થાનિક સ્વાયત કમિટી રચી સ્થળ તપાસ કરી દરેક શ્રમિકના જોબ કાર્ડ તપાસી એજ શ્રમિકોની કામની માંગણી છે કે નહી અને કામની માંગણી વખતે ગ્રામ પંચાયતે શ્રમિકોને કામની માંગણીની આપેલ રસીદ, કામની જગ્યાં પરના મજૂરોના ફોટાઓ, તેમજ અન્ય દસ્તાવેજો તપાસી આ ભ્રષ્ટાચાર આચરવા વાળા તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત કક્ષાના જવાબદાર કર્મચારી જેવાકે તાલુકા વિકાસ અધિકારી ,APO, ટેકનિકલ, ગ્રામ રોજગાર સેવક તથા અન્ય તમામ વિરુધ્ધ કાયદાકીય પગલાં ભરવામાં આવે તે જરૂરી બન્યુ છે. આ યોજનાની જોગવાઈ વિરૂદ્ધનું કામ કરવામાં આવી રહ્યું છે. આ કાયદોની જોગવાઈ મુજબ ગુન્હો આચરવા વાળા લોકો વિરૂદ્ધ ફોજદારી ગુન્હો નોંધવામાં આવે.અને જો જવાબદાર કર્મચારી તાલુકા વિકાસ અધિકારી, APO, ટેકનિકલ, ગ્રામ રોજગાર સેવક તથા અન્ય તમામ વિરુધ્ધ કાયદાકીય પગલાં ભરવામાં ના આવે તો આહવાનાં જાગૃત નાગરીક દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટમા જાહેરહિત માટે પીટીસન કરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

Back to top button
error: Content is protected !!