પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી:હાંસોટમાં ભાઈને મળવા આવેલી મહિલાને અટારી બોર્ડર થઈ પાકિસ્તાન રવાના કરાઈ
સમીર પટેલ, ભરૂચ
કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત ગુજરાતમાંથી પાકિસ્તાની નાગરિકને પરત મોકલવાનો પ્રથમ કિસ્સો ભરૂચમાંથી સામે આવ્યો છે.
રાજ્યના ગૃહ વિભાગે તમામ જિલ્લા પોલીસ વડાને પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવા સૂચના આપી હતી. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચનાથી હાંસોટ પોલીસે કાર્યવાહી કરી છે. શાહીદા બીબી નામની પાકિસ્તાની મહિલા 14 એપ્રિલે હાંસોટના ભાટવાડમાં રહેતા તેમના ભાઈને મળવા આવી હતી. તેઓ 26 જૂન સુધી રોકાવાના હતા. જોકે, સરકારના નવા નિર્ણયના કારણે તેમને અટારી બોર્ડર થઈને પાકિસ્તાન રવાના કરવામાં આવ્યા છે. હાંસોટ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર કે.વી.લાકોડે આ માહિતીની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે સરકારના નિર્ણયના પગલે શાહીદા બીબીને નિર્ધારિત સમય પહેલાં જ પાકિસ્તાન પરત મોકલવામાં આવ્યા છે.