GUJARATKUTCHLAKHPAT

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ લખપત તાલુકા દ્વારા નારાયણ સરોવર ખાતે ગુરુવંદના કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – લખપત કચ્છ.

લખપત,તા-૧૯ ઓગસ્ટ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ લખપત તાલુકા દ્વારા નારાયણ સરોવર ખાતે ગુરુવંદના કાર્યક્રમ યોજાયો હતો.નારાયણ સરોવર ખાતે યોજાયેલ કાર્યક્રમ માં સૌપ્રથમ ભારતમાતાને ની છબી ને ફુલહાર અર્પણ કરીને ગુરુ વંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સરકારી માધ્યમિક સંવર્ગ ગુજરાત રાજ્ય અધ્યક્ષ નયનભાઈ વાંઝા એ સંગઠન પરિચય અને સંગઠન ની વિવિધ ગતિવિધિઓની સમજ આપી હતી. કાર્યક્રમ ના મુખ્ય વક્તા શામજીભાઈ મ્યાત્રાએ જીવનમાં ગુરુનું મહત્વ અને ગુરુ પરંપરા વિશે સમજાવી ગુરૂપદ મહિમા વર્ણવ્યો હતો.

Back to top button
error: Content is protected !!