સમગ્ર ગુજરાતના વકીલ એસોસિએશન પ્રમુખ તેમજ સેક્રેટરી નું ૧૪મી એપ્રિલે રાજપીપલા ખાતે અધિવેશન યોજાશે
ગુજરાતમાં સૌપ્રથમવાર યોજાઈ રહેલા કાર્યક્રમની યજમાની નર્મદા જિલ્લા બાર એસોશિયેશન કરશે
વકીલોની હત્યા હુમલા મુદ્દે “એડવોકેટ પ્રોટેક્શન બિલ” રજુ સહિતના અગત્યના મુદ્દાઓ ઉપર ચર્ચા થશે
રાજપીપલા : જુનેદ ખત્રી
અગામી તા.૧૪ એપ્રિલના રોજ ગુજરાતમાં પ્રથમવાર સમગ્ર રાજ્યમાંથી વકીલ એસોના પ્રમુખ તેમજ સેક્રેટરીઓ નું અધિવેશન રાજપીપલા ખાતે યોજવા જઇ રહ્યું છે જેમાં વકીલોની હત્યા હુમલા મુદ્દે “એડવોકેટ પ્રોટેક્શન બિલ” રજુ સહિતના અગત્યના મુદ્દાઓ ઉપર ચર્ચા થશે
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જામનગરના એડવોકેટ હારુન પાલેજા ની જાહેરમાં હત્યા થઈ હતી જેના વકીલ આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે લોકોને કાયદાકિય રક્ષણ પૂરું પાડતા વકીલો પોતાની જાની માલી રક્ષણ માટે સરકાર નક્કર કાયદો બનાવે તેવી માંગ કરી રહ્યા છે આ બાબતે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત પણ કરાઇ હતી ત્યારે રાજપીપલા ખાતે યોજાનાર અધિવેશનમાં રાજ્યભરના ૨૭૨ જેટલા બાર એસોસિએશન ભાગ લેશે જેમાં મુખ્યત્વે ” એડવોકેટ પ્રોટેક્શન બિલ” રજુ કરવા બાબતે ચર્ચાઓ થશે ઉપરાંત જીલ્લા અને તાલુકા કક્ષાએ હાલના સમયમાં વકીલાતના વ્યવસાયમાં આવી રહેલી સમસ્યાઓ અને તેના નિવારણ મુદ્દે પણ ચર્ચા થવાની છે
નર્મદા જિલ્લા બાર એસોસીએશનના પ્રમુખ એડવોકેટ વંદનાબેન ભટે જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌપ્રથમ વાર વકીલોનું સ્નેહમિલન યોજાઈ રહ્યું છે જેમાં ગુજરાત માંથી બાર કાઉન્સિલ ના પ્રમુખો સેક્રેટરી જોડાવાના છે વકીલોને લાગતાં અગત્યના પ્રશ્નો મુદ્દે ચર્ચાઓ થશે ઉપરાંત વકીલોના સંરક્ષણ માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવા માટે સરકારમાં રજૂઆત પણ કરવામાં આવશે કાર્યક્રમમાં આવનાર તમમાં બારના પ્રમુખો તેમજ સેક્રેટરી નું નર્મદા જિલ્લા બાર એસોસિયેશન સ્વાગત કરે છે
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.