GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: જસદણ વિધાનસભા મત વિસ્તારમાં રામનવમીની શોભાયાત્રામાં ભાગ લેનાર તમામ વ્યક્તિઓને મતાધિકારનો ઉપયોગ કરવા માહિતગાર કરાયા

તા.૧૭/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪નો સૌથી મોટો અવસર આવી રહ્યો છે. આગામી તારીખ ૭ મેના રોજ ગુજરાતની તમામ ૨૬ લોકસભા સીટો પર મતદાન થશે. ગત ચૂંટણી કરતા આ વખતે મતદાનની ટકાવારી વધે તેવા પ્રયત્નો ચૂંટણી પંચ દ્વારા સ્વીપના માધ્યમ મારફતે કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે દેશવાસીઓને લોકસભા ચૂંટણી અન્વયે મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

આજ રોજ ૬૮-રાજકોટ (પુર્વ) વિધાનસભા મત વિસ્તારમાં સમાવષ્ટિ પડધરી તાલુકામાં મહિલાઓનું મતદાન પુરૂષની સરખામણીએ ૧૦% કરતા ઓછું હોય તેવા બાલકૃષ્ણ સોસાયટી રાજકોટ ભાગ નં ૧૩૯ ખાતે ઝોનલ ઓફીસરશ્રી, તથા બુથ લેવલ ઓફિસર શ્રી દ્વારા હાઉસ ટુ હાઉસ આમંત્રણ પત્રિકા નું વિતરણ કરી “મતદાર જાગૃતિ” કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં તમામને મતદાર જાગૃતિ વિશેની સમજૂતી આપી તથા ચૂંટણીમાં અચૂક મતદાન કરવા તથા કરાવવા માટે સર્વને અપીલ કરવામાં આવી.

૭૧- રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારના રાજકોટ તાલુકાના મુંજકા ખાતે આવેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજરોજ મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોને આગામી લોકસભા સામાન્ય ચુંટણી અંગે, મતદાનના મહત્વ અંગે તથા મતદાનની તારીખ અંગે માહિતગાર કરવામાં આવ્યા તથા તમામને મતદાન કરવા માટેની નૈતિક ફરજ નિભાવી લોકશાહીના પર્વમાં ભાગ લેવા જાણકારી આપી હતી તેમજ મતદાન અંગેના શપથ લેવડાવીને પેમ્ફ્લેટ વિતરણ કરાયા હતા.

૭૨- જસદણ વિધાનસભા મત વિસ્તારમાં રામનવમી નિમિત્તે યોજાયેલ શોભાયાત્રામાં ભાગ લેનાર તમામ વ્યક્તિઓને મતાધિકારનો ઉપયોગ કરવા માહિતગાર કરવામાં આવ્યા હતા. સૌ ઉપસ્થિતોને આગામી તા. ૦૭ મી મે ૨૦૨૪ ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણીમાં અચૂક મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી અને મતદાન કરવા માટે પ્રેરણા પુરી પાડતી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

૭૫ -ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ જામકંડોરણા-08 આંગણવાડી, બાલાપર આંગણવાડી, ખાટલી આંગણવાડી અને જામદાદર આંગણવાડી ખાતે આંગણવાડીની બહેનો દ્વારા તેમના કાર્યક્ષેત્રમાં આવતા મત વિસ્તારના લોકો મહત્તમ પ્રમાણમાં મતદાન કરે તે અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. મહિલાઓની મતદાનમાં ભાગીદારી વધે તેમજ મતદાનની પાત્રતા ધરાવતા ઘરના સભ્યો સમયસર અને યોગ્ય રીતે મતદાન કરે તે અંગે સમજૂતી આપવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!