યોગેશ કાનાબાર રાજુલા
જાફરાબાદ તાલુકાના સરોવરડા ભટવદર ને જોડતો બે કિ.મી રોડ બેકરોડ પાંચ લાખ ખર્ચ મંજુર કરાવતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી
બંને ગામોમાં હર્ષની લાગણી
જાફરાબાદ આઝાદી પછી સરોવડા ભટવદર પંચાયત નો કાચો રસ્તો વર્ષોથી હોવાથી ચોમાસામાં લોકો પાંચ કિલોમીટર ફરવા જતા લોકો હેરાન પરેશાન થતા જાફરાબાદ તાલુકાકારોબારી ચેરમેન અનિરુદ્ધભાઈઅને હીરાભાઈ ની રજૂઆત નેમળી સફળતા
જાફરાબાદ તાલુકાના સરોવડા ભટવદર રુથ ગ્રામ પંચાયત છે આ ગામ વચ્ચે આઝાદીથી આજદિન સુધી એપ્રોચ માટીનો રસ્તો છે જેને કારણે બંને ગામ જૂથએક પંચાયત હોવાથી ગામ લોકોને અવારનવાર આવવા જવાની જરૂર પડતી હોય પરંતુ ચોમાસામાં આ રસ્તો સંપૂર્ણ બંધ થઈ જાય જેથી લોકોને ખેતરે જવું હોય તો પણ ભારે મુશ્કેલી હતી અને એક ગામથી બીજે ગામ જવું હોય તો વાયા બારપટોળી અથવા કંથારીયા ફરીને જવું પડતું અને પાંચ કિલોમીટરનું ફરક પડતો હતો જે અંગે છેલ્લા દશક વર્ષથી અનિરુદ્ધભાઈ વાળા દ્વારા રજૂઆત કરવામાં આવતી હતી બે વર્ષ પહેલાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ને ગામ જનોએ રજૂઆતો કરી હતી અને હીરાભાઈ એ ખાતરી આપી હતી પરંતુ સરકારની યોજનામાં ટૂંકો રસ્તો કે મેટલ નાના રસ્તાની જોગવાઈનો હોવાથી મંજૂર થતો ન હતો ત્યારે સરકારશ્રીની એક નવી યોજના મુજબ નોન પ્લાન અને મુખ્યમંત્રી રસ્તા અને ગ્રામીણ સડક યોજના 25 26 હેઠળ આ રસ્તો ડામર બે કોઝવે પ્રો્ હોલ હેઠળ બે કિલોમીટર રોડના બે કરોડ પાંચ લાખ મંજુર કરવામાં આવ્યા હતા. આ પ્રશ્ન ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી તથા અનિરુદ્ધભાઈ વાળા કારોબારી ચેરમેન શ્રી જિલ્લા કરસનભાઈ ભીલ સહિત ગાંધીનગર પણ ગયા હતા અને મુખ્યમંત્રી સમક્ષ હીરાભાઈ સોલંકી અને બંને આગેવાનો દ્વારા જોરદાર રજૂઆત કરી હતી. ત્યારબાદ આવા રસ્તા એક તાલુકામાં એક જ લેવાનો હોય જેથી હીરાભાઈ સોલંકી આ વર્ષે સરોવરડા ભટવદર રોડ મંજુર કરાવવાનું જણાવતા આજે આ રસ્તા નોન પ્લાન્ટ અને જોબ નંબર સરકારશ્રી ઉપ સચિવ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા હીરાભાઈ સોલંકી ને જાણ કરતા આ વિસ્તારના બંને ગામો માં હર્ષની લાગણી આઝાદી પછી પ્રથમ રોડ આ સંયુક્ત ગામ ભટવદર સરોવડા ને સાંકળતો રોડ મંજૂર થયો છે અને હીરાભાઈ સોલંકી અનિરુદ્ધભાઈ અને કરસનભાઈ નો આભાર વ્યક્ત કર્યો હતો અને ગામજનો એ રાજીપો વ્યક્ત કર્યો