AMRELIJAFRABAD

Jafrabad : જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ની શૌર્ય જાગરણ યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ની શૌર્ય જાગરણ યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા યોજેલ શૌર્ય જાગરણ યાત્રા નું બાબરકોટ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ સમસ્ત ગ્રામ જનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથો સાથ નાની બહેનો દ્વારા ફૂલ હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ની શૌર્ય જાગરણ યાત્રાની સાથે ૧૦૦ જેટલી બાઈક સાથે ૫૦૦ થી વધારે યુવાનો જોડાયા હતા અને ભાજી માર્કેટ થી લય ખોડીયાર માં ના મંદિર સુધી શૌર્ય જાગરણ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાંથી વારાશ્રુપ વારાહ ભગવાનના મંદિરે શૌર્ય જાગરણ યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું સાથો સાથ વારાહ ભગવાન મંદિર ના ટ્રસ્ટ દ્વારા મહા પ્રશાદ નું આયોજન કરવામાં આવ્યું હતું અને એક હજાર થી વધારે યુવાનો એ પ્રસાદ લીધો હતો શૌર્ય જાગરણ યાત્રા માં જોડાયેલ મહેમાન શ્રી ઓ જાફરાબાદ તાલુકાના વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના પ્રમુખ ઉપપ્રમુખ સભ્ય શ્રી તેમજ બાબરકોટ ગામ ના વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના પ્રમુખ ઉપપ્રમુખ સભ્ય શ્રી ઓ તેમજ સરપંચ અને ઉપસરપંચ તેમજ ગ્રામ પંચાયત ના તમામ સભ્ય શ્રી ઓ તાલુકા પંચાયત ના સભ્ય શ્રી તેમજ ગામના આગેવાનો રાજકિય આગેવાનો તેમજ ગામના લોકો દ્વારા શૌર્ય જાગરણ યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું બાબરકોટ ગામના વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના પ્રમુખ ઉપપ્રમુખ સભ્ય શ્રી ઓ ને શૌર્ય જાગરણ યાત્રા ને સફળ બનાવવા બદલ ખુબ ખુબ અભિનંદન આપવામાં આવ્યા હતાં

રિપોર્ટ..ભૂપત સાંખટ

જાફરાબાદ

અમરેલી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!