કેશોદ નગરપાલિકાની શનિવારે મળેલી ખાસ સાધારણ સભામાં સર્વાનુમતે પદાધિકારીઓ ની વરણી કરવામાં આવ્યાં બાદ આજરોજ કેશોદ નગરપાલિકા કચેરીમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિત સતાધારી પક્ષ ના હોદેદારો કાર્યકરો ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાઓ અને વેપારી અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં કેશોદ નગરપાલિકા ના નવનિયુક્ત પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા એ પ્રથમ નાગરિક તરીકે પોતાનાં હોદા નો કારભાર સંભાળી ભારતીય જનતા પાર્ટી ની ડબલ એન્જિન ની સરકાર ની વિકાસ યાત્રાને આગળ ધપાવવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. કેશોદ વિશ્ર્વ હિન્દુ પરિષદના પ્રમુખ તરીકે જાહેર જીવનમાં પ્રવેશ કરનાર મેહલુભાઈ ગોડલીયા કેશોદ નગરપાલિકા ની સામાન્ય ચુટણીમાં વોર્ડ નંબર એક મા ભાજપના ઉમેદવાર તરીકે ચુટણી લડી વિજેતા થયા હતાં અને અઢી વર્ષ સામાન્ય બેઠક પર ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા પસંદગી કરવામાં આવતાં વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યકરો મા ખુશી વ્યાપી ગઈ છે.પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના ઉત્સવરાય હવેલીના બાવાશ્રી પધારી આશીર્વાદ આપ્યા હતા. કેશોદના વેપારીઓ અને યુવાનોમાં લોકચાહના ધરાવતા અને વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા નવનિયુક્ત પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા દ્વારા કેશોદ શહેરમાં નવો વિકાસ નો સંચાર ફુકવામા આવશે એવું રાજકીય તજજ્ઞો માની રહ્યા છે.
રિપોર્ટર : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ