કિરીટ પટેલ બાયડ
બાયડ તાલુકાના રૂપનગર તથા ધરમડી વાંટા ગામે ખાતે વિકસિત ભારત સંકલ્પયાત્રા કાર્યક્ર્મ ઉજવાયો
જનકલ્યાણકારી યોજનાઓ વિશે ગ્રામજનોને જાણકારી આપી અને લાભર્થીઓને યોજનાઓનો લાભ આપવામાં આવ્યો તાલુકાના રૂપનગર તથા ધરમડી વાંટા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પયાત્રા કાર્યક્ર્મ ઉજવાયો તથા સરકારની જનકલ્યાણકારી યોજનાઓ વિશે ગ્રામજનોને જાણકારી આપી હતી અને લાભર્થીઓને યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ તા.૧૫ મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’ થી આરંભરાયેલી રથયાત્રા સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરશે, ત્યારે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.