GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર સ્થળોએ સૂર્ય નમસ્કાર મહાઅભિયાન કાર્યક્રમો યોજાશે.

તા.31/12/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વડવાળા મંદિર, દુધરેજ ખાતે કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા તેમજ વડવાળા મંદિર, દુધઈ ખાતે નાયબ મુખ્ય દંડકના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાશે.

ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પ્રેરિત જિલ્લા વહિવટી તંત્ર સુરેન્દ્રનગર દ્વારા આવતીકાલે સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં જાહેર જનતાને ભાગ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આવતી કાલે સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ચાર સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વડવાળા મંદિર, દુધરેજ ખાતે કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા અને ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તેમજ મુળી તાલુકામાં વડવાળા મંદિર, દુધઈ ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વસંતબેન ઓળકીયા, જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ, સુરેન્દ્રનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, લિંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને ત્રિમંદિર, સુરેન્દ્રનગર ખાતે ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ અને દસાડા ધારાસભ્ય પી.કે.પરમારની ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાશે આ કાર્યક્રમમાં સવારના ૭ કલાકથી ૮:૧૫ સુધી યોજાશે કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રમત ગમત મંત્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ થશે આ ઉપરાંત રાજ્યકક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકોના સન્માન સમારોહનું પણ લાઈવ પ્રસારણ કરાશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!