વાત્સલ્યમ્ સમાચાર
રણછોડસિંહ એસ ચૌહાણ વાવ
સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો મો 9974398583
વાવ તાલુકાના અસારા ગામે ડીઘારી બ્રાહ્મણ પરિવારના કુળદેવી વેરાઈ માતાજીનો પાટોત્સવ ઉજવાયો હતો જેમાં તા 01/04/ના રાત્રે ભજન સત્સંગ અને બીજા દિવસે રવિવારે યજ્ઞ અને ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો હતો રાત્રે ભજન સત્સંગ માં ઉપસ્થિત કાલાકારો તથા આગેવાનો અને રાજકીય આગેવાનોનુ સન્માન કરવામાં આવ્યું હતું જેમા ઉપસ્થિત કલાકારો સિધ્ધરાજભાઈ ગામોટ નેસડા ગોલપ તથા શ્રવણભાઈ રાજપૂત અસારા વાસ તથા ઘેગાજી રાજપૂત ભરડવા તથા તમામ ઉપસ્થિત કલાકારો નુ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે વાવ તાલુકાના પ્રમુખ ના પતિ વિહાજી રાજપુત તથા અસારા ગામ ના સરપંચ જોધાજી રાજપૂત અસારા વાસ ના સરપંચ બબાભાઈ રાજપૂત તથા ગ્રામ જનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડીઘારી બ્રાહ્મણ પરિવાર અસારા દ્ગારા આયોજન કરવામાં આવ્યું હતું