લોકસભા ચૂંટણીની મતગણતરી માટે જિલ્લા ચૂંટણીતંત્ર સજ્જ : ચૂંટણી આયોગ દ્વારા નિયુક્ત કરાયેલા બે ઓર્બ્ઝવરશ્રીઓએ મત ગણતરી સ્થળનું નિરિક્ષણ કર્યુ
ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી તુષાર સુમેરાએ કે.જે.પોલીટેકનીક કોલેજ ખાતે ઉભી કરાયેલી વિવિધ વ્યવસ્થાઓ અંગે ઓબ્ઝર્વરશ્રીઓને માહિતી આપી
***
ભરૂચ- સોમવાર- ભરૂચમાં લોકસભા ચૂંટણીની મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. કે. જે. પોલીટેકનીક કોલેજ ખાતે બનાવવામાં આવેલા મતગણતરી કેન્દ્રની કેન્દ્રની ચૂંટણી આયોગ દ્વારા નિયુક્ત કરાયેલા જનરલ ઓબ્ઝર્વર સંદીપ કૌર (આઇએએસ) અને પર્થારાજુ (આઇએએસ) દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. લોકસભા બેઠકના મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી તુષાર સુમેરાએ ઓબ્ઝર્વરશ્રીઓને કે.જે.પોલીટેકનીક કોલેજ સંકુલમાં વિવિધ સ્થળોએ ઉભી કરવામાં આવેલી તમામ વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. ત્યારબાદ એ.આર.ઓ.શ્રી સહિતના અધિકારીશ્રીઓનો ગણતરી અંગેની જરૂરી સૂચનાઓ આપી માર્ગદર્શિત કર્યા હતા. ઓબ્ઝર્વરશ્રીએ મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને મતગણતરી અંગેની વ્યવસ્થાઓ તથા સુરક્ષા વ્યવસ્થા સહિતની તૈયારીઓ નિહાળી હતી તેમજ આ બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ મુલાકાત દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.આર.જોશી, નિવાસી અધિક કલેકટરશ્રી એન.આર.ધાંધલ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સૂપ્રિયા ગાંગૂલી સહિતનાં ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.