
પાલીતાણા પત્રકાર એકતા પરિષદ ની કારોબારી ની મિટીંગ મળી
આગામી દિવસોમાં પાલીતાણા મા સર્વો રોગ નિદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવશે તેમજ ગુજરાત પત્રકાર એકતા પરિષદ ની કારોબારી ની મિટીંગ પાલીતાણા ખાતે થશે
આજ રોજ પાલીતાણા સર્કીટ હાઉસ ખાતે પાલીતાણા પત્રકાર એકતા પરિષદ ની કારોબારી ની મિટીંગ મળી હતી જેમા આગામી તારીખ ૧૯/૪/૨૦૨૬ ને રવીવાર ના રોજ સર્વો રોગ નિદાન કેમ્પ ના આયોજન વિશે ચર્ચ વિચારણા કરવામાં આવી હતી અને સર્વો નિદાન કેમ્પ નુ સુંદર આયોજન કરવામાં આવ્યું છે તેમજ આગામી તારીખ ૧/૪/૨૦૨૬ ના રોજ પાટણ ખાતે પત્રકાર એકતા પરિષદ ના અધીવેશ મા જવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી તેમજ આગામી સમયમાં ગુજરાત પત્રકાર એકતા પરિષદ ની કારોબારી ની મિટીંગ પાલીતાણા ખાતે કરવાની હોય તેના માટે ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ત્યારબાદ સર્વો હોદેદારો દ્વારા સમુહ ભોજન કરવામાં આવ્યું હતું આ મિટીંગમાં ગુજરાત પત્રકાર એકતા પરિષદ ના મહામંત્રી આર બી રાઠોડ, પાલીતાણા પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ અબ્બાસભાઈ વોરા, લીગલ એડવાઈઝર આર આર ગોહિલ સહિત સંગઠન ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.





